પરિણીતાએ ‘સુખ’ મેળવવા પ્રેમીને ઘરે બોલાવ્યો અને અચાનક પતિદેવે મારી એન્ટ્રી પછી જે થયું
આજકાલ સમાજમાં પતિ પત્ની અને વોના સંબંધોનું પ્રમાણ ખુબ વધ્યું છે. અવાર નવાર સોશિયલ મીડિયા અને સમાચારમાં પતિ અને પત્નીના વિશ્વાસઘાતના સમાચાર આવતા હોય છે. અને તેનું ગંભીર પરિણામ પણ ભોગવતા લોકોને આપણે જોયા છે. આવી જ એક ઘટના વલસાડના ઉંમરગામમાં બની છે. જેને જાણીને આ ઘટના હત્યાનો કેસ છે કે બચવા માટેનો પ્રયત્ન કરતા પ્રેમીએ જીવ ખોયો એજ સમજાઈ નથી રહ્યું. પોલીસ પણ તેની તપાસમાં લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ઉંમરગામમાં રહેતો એક 45 વર્ષીય પુરુષ જે બે બાળકોનો પિતા છે તે એક બિલ્ડિંગમાં સાઈટ સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. ત્યારે તેની નજર બાજુની બિલ્ડિંગમાં સાતમા માળે રહેતી એક મહિલા સાથે મળી હતી. અને એ બંને વચ્ચે પ્રેમ જાગ્યો હતો.
તે બંને વચ્ચેનો પ્રેમ આગળ વધતા મહિલા અને તે પુરુષ વચ્ચે સંબંધો પણ આગળ વધ્યા હતા. તે પુરુષ મહિલાના ઘરે તેનો પતિ ના હોય ત્યારે જતો હતો અને મહિલા સાથે શરીર મઝા પણ અવાર નવાર માણતો હતો.
મહિલાના પતિને એકવાર તે પુરુષ અને તેની પત્ની વચ્ચેના સંબંધોની જાણ થઇ જતા બનેં વચ્ચે ખુબ જ મોટો ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ પણ તે પુરુષમાં કોઈ બદલાવ આવ્યો નહિ અને તે પરિણત મહિલાને મળવા માટે આવતો રહેતો હતો.
આ દરમિયાન જ એક દિવસ વહેલી સવારે મહિલાનો પતિ બહાર ગયો હોવાની જાણ તે પુરુષને થતા જ તે મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તે મહિલા સાથે માણી રહ્યો હતો. એ દરમિયાન જ પતિ ત્યાં આવી પહોંચતા બચવા માટેના ઉપાય શોધવા જતા તે પુરુષ 7 માળેથી નીચે કૂદી ગયો હતો.
સાતમા માળેથી નીચે કુદતા જ તેના માથાના ભાગમાં અને શરીરના અન્ય ભાગમાં ઈજાઓ પણ થઇ હતી અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ આસપાસના રહીશો પણ ત્યાં ટોળે વળ્યાં હતા.
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલામાં અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.
પરંતુ મૃતકના પરિવાર જનોનો આક્ષેપ છે કે મહિલાના પતિએ જ તેના મિત્રો સાથે ભેગા મળી અને સાતમા માળેથી તેને નીચે ફેંકી દેવામાં આવ્યા છો. પરિવારના આવા આક્ષેપો બાદ પોલીસ હવે હત્યાના એન્ગલથી પણ તપાસ શરૂ કરશે.